TUSHAR DAVE·SATURDAY, 27 FEBRUARY 2016
ખરેખર ભારત જેટલો #અસહિષ્ણુ દેશ બીજો કોઈ હોઈ જ ન શકે. અફઝલે બાપડાએ દેશની સંસદ પર હુમલો શું કર્યો એમાં તો એનો ફાંસીએ ચડાવી દીધો બોલો! અફઝલ તો અફઝલ પેલા બીચાકડા યાકુબ મેમણને પણ ટાંગી દીધો! કોઈને ટાઈગર મેમણની બે આંખની શરમ પણ ન અડી. આવું તે કંઈ હોતું હશે! વ્હેર ઈઝ યોર #સહિષ્ણુતા હિન્દુસ્તાન? આ તો બધુ ઠીક હૈદ્રાબાદ યુનિવર્સિટીનો પેલો નિર્દોષ વિદ્યાર્થી રોહિત વેમૂલા યાકુબ મેમણની ફાંસીનો વિરોધ કરતો હતો ને યાકુબનું સ્મારક બનાવવા ઈચ્છતો હતો તો એ ગરીબડાનો પણ આપણે વિરોધ કર્યો બોલો…!!!
હાય…હાય…બાપ આવું તે કંઈ કરાતું હશે? આપણે #JNU અને જામિયા મિલિયા ઈસ્લામિયા જેવી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને ‘અફઝલની વરસીની ઉજવણી’ અને ‘કાશ્મીરની આઝાદીની લડાઈ’ જેવા સાંસ્કૃતિક(?) કાર્યક્રમો પણ નથી કરવા દેતા. આપણી અસહિષ્ણુતાની હદ તો ત્યાં આવી ગઈ કે યુનિવર્સિટીઓમાં ત્રિરંગો ફરકાવવાનો આદેશ કરીને આપણે એમની સ્વાયત્તતા પર પણ તરાપ મારી દીધી.
નરેન્દ્ર મોદી સરકાર અને મનુસ્મૃતિ ઈરાની ઉપ્સ (આ તો હમણા જ કન્હૈયાની સ્પીચ વાંચી એટલે) સ્મૃતિ ઈરાનીના મંત્રાલયે તાત્કાલિક અસરથી તમામ ભૂલો સુધારી તુષ્ટીકરણ ઉપ્સ સદ્દભાવનાની નીતિ અપનાવી ભારતને વેવલો સોરી સહિષ્ણુ દેશ બનાવવો જોઈએ. સૌથી પહેલુ કામ એ કરો કે જેએનયુમાં એક Yakub ભાઈ કી સજા Memon નિર્દોષ યુવાન કલ્ચરલ મંચ બનાવી આપો. જ્યાં મુસ્લિમતરફી સોરી સેક્યુલર(બિનસાંપ્રદાયિક યુ નો…) વિચારો ધરાવતા યુવક-યુવતીઓ અને ઘેલ…(સોરી સ્લિપિંગ પેન) ઈન્ટેલેકચ્યુઅલ પ્રોફેસર્સ કાશ્મીરને ક્રૂર ભારતના પંજામાંથી છોડાવવા અંગેની દેશદ્રોહી(અગેઈન સોરી) પ્રોગ્રેસીવ ચર્ચાઓ કરી શકે.
એક અફઝલ અન્યાય પીડિત ગુરુ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશનની સ્થાપના કરો. જે રોહિત વેમૂલા જેવા હરા… ઉપ્સ હોશિંયાર યુવાનોને યાકુબ મેમણના સ્મારકો અને મોજ આવે તો મકબરાઓ બાંધવાનુ ફંડ આપે. એટલુ જ નહીં પણ આ ફાઉન્ડેશન કેટલાક કલ્ચરલ કાર્યક્રમો પણ કરે. જેમાં દિલ્હી યુનિવર્સિટીના પ્રો.ગીલાની જેવા ઈડિયટ સોરી ઈન્ટેલેક્ચ્યુઅલ્સના લેકચર્સની મદદથી દેશના યુવાનોને અફઝલ-યાકુબ-સઈદ-બટ વગેરે નેતાઓની ‘ન્યાય અને આઝાદી’ માટેની આંતરરાષ્ટ્રીય વિચારધારાથી પરિચીત કરાવવામાં આવે. યુવાનોમાં એ વિચારધારાનું ઘડતર ખુબ જ જરૂરી છે કે યુનિવર્સિટીઝમાં ત્રિરંગો ફરકાવવાનું તઘલખી ફરમાન મહાન શિક્ષણસંસ્થાઓની સ્વાયત્તતા પર કેવડી મોટી તરાપ છે. એમને એ પણ ધરાર ગળે ઉતારવું જોઈએ કે તમે ભલે કોર્ટમાં જજ આવે ત્યારે, ક્લાસમાં શિક્ષક કે પ્રિન્સિપાલ આવે ત્યારે, કોઈ ઓફિસમાં મોટો અધિકારી આવે ત્યારે ઉભા થઈ જતા હોય અને મહાનુભાવોને સલામો ઠોકતા હોવ પણ સિનેમાઘરમાં કે ક્યાંય પણ હિન્દુસ્તાનનું રાષ્ટ્રગીત વાગે ત્યારે 45 સેકન્ડ માટે ઉભા થવું બિલકુલ જરૂરી નથી. હે યુવાનો, યાદ રાખો કે આ દેશનું રાષ્ટ્રગીત કોઈ ચલતાપૂર્જા શિક્ષક કે ફાંદાળા ઠુલિયાને મળે છે એટલા પણ આદરને પાત્ર નથી.
એક Maqbool હિ ઈઝ નોટ અ ટેરરિસ્ટ Bhat ફ્રેન્ડ્સ ઓફ પાકિસ્તાન ચેરિટેબલ ટ્રસ્ન પણ શરૂ થવું જોઈએ. જેના નેજા હેઠળ કાશ્મીરના આર્મીપીડિત યુવાનોને પણ #ISIS જેવા ધાર્મિક સંગઠનોની મદદથી ગુજરાત-પેલેસ્ટાઈનથી માંડીને ફ્રાન્સ સુધી લઘુમતિ સોરી લઘુમતીઓ પર કેવા અત્યાચારો થઈ રહ્યાં છે એવા વૈશ્વિક પ્રવાહોનું નોલેજ મળતું રહે.
માત્ર સેંકડો હિન્દુઓને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારનારા મહાન બિનસાંપ્રદાયિક યોદ્ધા ટીપુ સુલતાનની જ નહીં પણ ઓરંગઝેબથી માંડીને ગઝની સુધીના તમામની જન્મ-મૃત્યુ તિથિઓની ઉજવણી આ બિનસાંપ્રદાયિક રાષ્ટ્રમાં થવી જોઈએ.
મોદી સરકારે ઓરંગઝેબ રોડનું નામ બદલીને દેશના ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે વિકૃત છેડછાડ કરી છે. મોદી સરકારે વિશ્વમાં શ્રી જવાહરલાલ નહેરુએ બનાવેલી ભારતની મહાન બિનસાંપ્રદાયિક રાષ્ટ્રની છબિને ખરડાતી અટકાવવા આવી #અસહિષ્ણુ હરકતોથી બચવું જોઈએ. દેશના તમામ નાગરિકોને પોતપોતાના ઘરોના નામ ‘ઓરંગઝેબ વિલા’ કે ‘ઓરંગઝેબ મહેલ’ રાખવાની છૂટ છે. અરે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે ‘હર ઘર સે અફઝલ નીકલેગા’ની તર્જ પર ‘હર ઘર સે ઓરંગઝેબ નીકલેગા’ જેવા નારાઓ પણ લગાવવા દેવા જોઈએ. દેશના બુદ્ધિજીવીઓમાં અને વિદેશોમાં ભારતની છબિ બનાવવા જરૂર પડે તો ગુજરાતમાં ઠેકઠેકાણે આવેલા એમ.જી. રોડ પૈકીના કોઈને ‘મહંમદ બેગડો માર્ગ’ તો કોઈને ‘કુતુબુદ્દિન ઐબક માર્ગ’ નામ આપી દો પણ કોઈ પણ ભોગે આ દેશની સહિષ્ણુતા અને સેક્યુલારિઝમની રક્ષા કરો.
ફ્રી હિટ્સ:
>મને એ નથી સમજાતુ કે જ્યાં આટઆટલા સહિષ્ણુ પત્રકારો ખાલિદના વાલિદ બનવા તલપાપડ હોય એવા દેશમાં સંસદ પર હુમલો કરાવનારા આતંકવાદી અફઝલ ગુરુની વરસી ઉજવનારાઓએ ભાગવાની ક્યાં જરૂર હતી?
>સેક્યુલારિઝમ તેરે ઝંડે હોંગે…પાનના ગલ્લા…પાનના ગલ્લા…!
>હર ઘર સે ઘોંચુ નીકલેગા…!